Vitamin K Benefits: વિટામિન K, શરીર માટે જરૂરી, ઉણપથી બચવા માટે શું કરવું?

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Vitamin K Benefits: જ્યારે સ્વાસ્થ્ય માટે જરૂરી વિટામિન્સની વાત આવે છે, ત્યારે સામાન્ય રીતે વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન ઇ વિશે વાત કરવામાં આવે છે. જો કે આ સિવાય પણ બીજું એક વિટામિન છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે પરંતુ તેના વિશે ઓછી વાત કરવામાં આવે છે.

વિટામિન K એ વિટામિન A, D અને E ની જેમ જ ફેટમાં ભળી જાય છે. લોહી ગંઠાઈ જવા માટે વિટામીન K જવાબદાર છે. તેથી ICU માં કે હોસ્પિટલના વોર્ડમાં, જે દર્દીઓને રક્તસ્ત્રાવ થઈ રહ્યો હોય, તેમને રક્તસ્ત્રાવ રોકવા અથવા ઘટાડવા માટે વિટામિન K ના ઇન્જેક્શન આપવામાં આવે છે.

- Advertisement -

વિટામિન K શરીર માટે શા માટે જરૂરી?

લોહી ગંઠાઈ જવું 

- Advertisement -

શરીરના કોઈપણ ભાગમાં લાગે છે અને જો રક્તસ્ત્રાવ શરૂ થાય છે ત્યારે વધુ પડતા લોહીના નુકસાનને રોકવા માટે, શરીર લોહી ગંઠાઈ જવાનું કાર્ય કરે છે જેના માટે વિટામિન K અત્યંત જરૂરી છે.

હૃદયનું સ્વાસ્થ્ય 

લગભગ દરેક વ્યક્તિ જાણે છે કે મજબૂત હાડકાં માટે કેલ્શિયમ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ વિટામીન K પણ હાડકાંને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે હાડકાંને મજબૂત બનાવે છે અને ઓસ્ટીયોપોરોસિસ જેવી સમસ્યાઓથી રાહત આપે છે.

કોગ્નીટીવ ફંકશન સુધારશે 

તાજેતરના કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે વિટામિન K મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. અભ્યાસોના આધારે, તે અલ્ઝાઈમરને રોકવા અને કોગ્નીટીવ ફંકશનને સુધારવામાં અસરકારક ગણી શકાય.

વિટામિન K ની ઉણપના લક્ષણ 

– નાની ઈજાઓ પર પણ વધુ પડતું રક્તસ્ત્રાવ

– પેઢા કે નાકમાંથી વારંવાર રક્તસ્ત્રાવ

– ત્વચા પર લીલા નિશાન પાડી જાય

– હાડકાં નબળા પડવા

વિટામિન K ના મુખ્ય સ્ત્રોત

– પાલક અને કોબીજ જેવા લીલા પાંદડાવાળા શાકભાજી

– બ્રોકોલી

– બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ

– ઓલિવ તેલ અને સોયાબીન તેલ જેવા વનસ્પતિ તેલ

આથોવાળો ખોરાક

– માખણ

– બ્લુબેરી

– અંજીર

Share This Article