Anurag Kashyap Apologise: અનુરાગ કશ્યપે બ્રાહ્મણો પરની ટિપ્પણી પર માફી માંગી, સાથે કર્યું કટાક્ષ

Arati Parmar
By Arati Parmar 4 Min Read

Anurag Kashyap Apologise: એક્ટર પ્રતીક ગાંધી અને પત્રલેખાની ફિલ્મ ‘ફૂલે’ લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. સમાજ સુધારક દંપતી જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત આ ફિલ્મની રિલીઝ ટાળી દેવામાં આવી હતી. આ ફિલ્મ પર જાતિવાદ ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અનુરાગ કશ્યપે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ અંગે સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન ઉર્ફે CBFC અંગે એક પોસ્ટ લખી હતી.

હવે અનુરાગે ફરી એક વખત કન્ટ્રોવર્શિયલ નિવેદન આપીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ નફરત વ્યક્ત કરતું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પરંતુ હવે ડાયરેક્ટરે માફી માગીને સ્પષ્ટતા આપતા પોતાની વાત કહી છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને અનુરાગ કશ્યપે લખ્યું કે, ‘મને તમારે જે બોલવું હોય એ બોલો પરંતુ મારા પરિવારને બખ્શી દો.’

- Advertisement -

અનુરાગની પોસ્ટ

હું માફી માગુ છું. પરંતુ આ હું મારી પોસ્ટ માટે નહીં પરંતુ એ એક લાઈન માટે માફી માગી રહ્યો છું, જેને ખોટી રીતે લેવામાં આવી અને નફરત ફેલાવવામાં આવી. કોઈ પણ કાર્યવાહી અથવા સ્પીચ તમારી દીકરી, પરિવાર, મિત્રો અને પ્રિયજનો કરતાં મહત્વની નથી. તેને રેપની ધમકીઓ મળી રહી છે. મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. જે લોકો પોતાને સંસ્કારી કહે છે તે લોકો આ બધું કરી રહ્યા છે. તો જે કંઈ કહેવામાં આવ્યું છે તે પાછું લઈ શકાતું નથી અને હું તે પાછું લઈશ પણ નહીં, પરંતુ તમારે ગાળો આપવી હોય તો મને આપો. મારા પરિવારે કંઈ નથી કહ્યું અને તેઓ કંઈ કહેશે પણ નહીં. તો જો તમે મારી પાસેથી માફી માંગતા હોવ, તો આ મારી માફી છે. બ્રાહ્મણો મહિલાઓને બખ્શી દો, આટલા સંસ્કાર તો શાસ્ત્રોમાં પણ છે, માત્ર મનુવાદમાં જ નથી. તમે કયા પ્રકારના બ્રાહ્મણ છો તે નક્કી કરો. બાકી, મારા તરફથી માફી.

ફિલ્મ પર શું બોલ્યો હતો અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર ફિલ્મના વિવાદ સાથે જોડાયેલા એક સમાચાર શેર કરતા લખ્યું કે, ‘મારા જીવનનું પહેલું નાટક જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલે પર હતું. ભાઈ જો આ દેશમાં જાતિવાદ ન હોત તો તેમને લડવાની શું જરૂર હતી? હવે આ બ્રાહ્મણોને શરમ આવી રહી છે અથવા તો તેઓ શરમના માર્યા મરી રહ્યા છે અથવા તેઓ એક અલગ બ્રાહ્મણ ભારતમાં જીવી રહ્યા છે જે આપણે જોઈ નથી શકતા, મૂર્ખ કોણ છે એ કોઈ તો સમજાવો.

મારો સવાલ એ છે કે જ્યારે ફિલ્મ સેન્સર બોર્ડ પાસે જાય છે તો ત્યાં 4 સભ્યો હોય છે. ગ્રૂપ્સ અને વિંગ્સને કેવી રીતે ફિલ્મ પહેલા જોવા મળી રહી છે? સિસ્ટમ જ ખરાબ છે. અન્ય એક પોસ્ટમાં અનુરાગે લખ્યું કે, પંજાબ 95, તીસ, ધડક 2, ફૂલે. મને નથી ખબર કે હજુ કેટલી ફિલ્મો છે જેને બ્લોક કરવામાં આવી છે, જે જાતિવાદીઓ, પ્રાદેશિકો, જાતિવાદીઓના એજન્ડાને ઉજાગર કરે છે. આ શરમજનક વાત છે કે લોકો ફિલ્મમાં તેમને શું સમસ્યા છે તે પણ ખુલીને નથી કહી રહ્યા. કાયર લોકો.

લોકો મૂર્ખ નથી

ઈન્સ્ટા સ્ટોરી ઉપરાંત અનુરાગ કશ્યપે ઈન્સ્ટાગ્રામ પર એક અલગ પોસ્ટ શેર કરી છે. તેમાં તેણે લખ્યું છે કે, ‘ધડક 2ના સ્ક્રીનિંગમાં સેન્સર બોર્ડે કહ્યું કે, મોદીજીએ ભારતમાં જાતિવાદનો અંત લાવી દીધો છે. આ જ કારણોસર સંતોષને પણ ભારતમાં રિલીઝ કરવામાં ન આવી. હવે બ્રાહ્મણને ફૂલેથી સમસ્યા છે. ભાઈ, જ્યારે જાતિવાદ છે જ નથી તો કેવો બ્રાહ્મણ? તમે કોણ છો? તમે કેમ બળી રહ્યા છો? જ્યારે જાતિવાદ નહોતો તો જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ કેમ હતા? કાં તો તમારો બ્રાહ્મણ સમાજ અહીં નથી કારણ કે મોદીના મતે ભારતમાં કોઈ જાતિવાદ નથી. અથવા બધા મળીને બધાને મૂર્ખ બનાવી રહ્યા છે. ભાઈ સાથે મળીને નિર્ણય કરી લો. ભારતમાં જાતિવાદ છે કે નહીં? લોકો મૂર્ખ નથી.’

Share This Article