Curd Storage Tips: ઉનાળામાં દહીં લાંબું સમય તાજું રાખવાની સરળ અને અસરકારક રીતો!

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Curd Storage Tips: દહીં સ્વાસ્થ્ય માટે દરેક રીતે ફાયદાકારક છે. તેને ખાવાથી જ નહીં પરંતુ ત્વચા પર લગાવવાથી પણ ઘણા ફાયદા થાય છે. કેટલાક લોકો બજારમાંથી દહીં ખરીદીને ખાય છે તો કેટલાક લોકો પોતાના હાથે ઘરે દહીં જમાવવાનું પસંદ કરે છે. બજારમાં મળતું દહીં પણ ભેળસેળયુક્ત હોઈ શકે છે. સાથે જ તે મોંઘુ પણ છે. ઘણી વખત તો ખબર પણ પડતી નથી કે તે દહીં તાજું છે કે વાસી. આથી મોટાભાગના લોકો દહીં ઘરે જમાવવાનું પસંદ કરે છે. પરંતુ ઉનાળામાં દહીં જલ્દીથી ખાટું થઇ જતું હોય છે. એવામાં આજે જાણીએ કે ઉનાળામાં દહીંને લાંબા સમય સુધી ખાટું થતું કેમ અટકાવી શકાય.

દહીં જમાવવા માટે તાજા દૂધનો ઉપયોગ કરો

- Advertisement -

દહીં જમાવતી વખતે બને તો તાજા જ દૂધનો ઉપયોગ કરો. જેથી દહીં ખાટું ન થાય. એવામાં જો તમે તાજા દૂધના બદલે એક દિવસ વાસી દૂધનો ઉપયોગ કરો છો તો પણ દહીં કોઈપણ સંજોગોમાં થઈ જ જશે.

બજાર જેવું દહીં કેવી રીતે જમાવવું?

- Advertisement -

બજારમાં મળતા દહીં જેવા કન્ફેક્શનરીને સેટ કરવા માટે પહેલા દૂધને સારી રીતે ઉકાળો. આ પછી તેને ઠંડુ થવા દો. દૂધ થોડું ઠંડુ થાય એટલે તેમાં મેરવણ ઉમેરી દો. હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે દહીં સેટ કરવા માટે દૂધનું તાપમાન બરાબર હોવું જોઈએ. ખૂબ ઠંડું હોય તેવા દૂધમાં મેરવણ ભળતું નથી. તેમજ જો દહીંને ખૂબ ગરમ દૂધમાં સેટ કરવામાં આવે તો દૂધ જલ્દી ફાટી જાય છે અને ખાટું બનશે.

આ ભૂલના કારણે પણ દહીં ખાટું બને છે

- Advertisement -

મોટાભાગની સ્ત્રીઓ દહીં જમાવવા માટે તે ઘરમાં રાખેલા દહીંનો જ મેરવણ તરીકે ઉપયોગ કરે છે. પણ તમારે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ. તમે દૂધમાં જે મેરવણ ઉમેરો છો તે પહેલાથી જો ખાટું હોય તો જામેલા દહીંનો સ્વાદ પણ ખાટો લાગશે. તેથી ધ્યાન રાખો કે દૂધમાં જે મેરવણ ઉમેરવામાં આવે છે તે પણ તાજું હોય.

ઉનાળામાં દહીં બહાર ન રાખવું

ઉનાળામાં દહીં ખાટું ન થાય તે માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારું દહીં તૈયાર થતાં જ તેને તરત જ ફ્રીઝ કરો. આમ કરવાથી તમે તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકશો. આ સાથે, તે ખાટા થવાની સંભાવના પણ ઓછી થશે. સામાન્ય રીતે દહીંને સેટ થવામાં 6 થી 8 કલાક લાગે છે. જ્યારે તમારું દહીં સેટ થઈ જાય એટલે તેને રેફ્રિજરેટરમાં રાખો દો.

Share This Article