Kamal Haasan On Tamilnadu Hindi Imposition: સીમાંકન અને ભાષા વિવાદ વચ્ચે કમલ હાસનના કેન્દ્ર પર પ્રહાર

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Kamal Haasan On Tamilnadu Hindi Imposition: સીમાંકન અને ભાષા વિવાદ વચ્ચે અભિનેતા કમલ હાસને કેન્દ્ર પર આકરા પ્રહાર કર્યા છે. અભિનેતાએ તમિલનાડુ સહિત દેશના દક્ષિણ રાજ્યો પર કથિત રીતે હિન્દી ભાષા થોપવાનો અને સીમાંકન દ્વારા હિન્દી પટ્ટાના હિતોને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. હાસને તેના માટે HINDIA શબ્દનો ઉપયોગ કર્યો છે. કમલ હાસને કેન્દ્ર પર પ્રહાર કરતા કહ્યું કે ‘તેઓ HINDIA બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.’ હિન્દી ફિલ્મના લોકપ્રિય અભિનેતા કમલ હાસને વર્ષ 2026માં પ્રસ્તાવિત સીમાંકન પર પણ નિવેદન આપ્યું અને કહ્યું કે, ‘આવો કોઈપણ નિર્ણય બિન-હિન્દી ભાષી રાજ્યોના હિતમાં નહીં હોય.’

તમિલનાડુના રાજકીય પક્ષોની સર્વપક્ષીય બેઠક
તમને જણાવી દઈએ કે, આજે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને સીમાંકનના મુદ્દા પર તમિલનાડુના રાજકીય પક્ષોની સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સામેલ થવા માટે તમિલનાડુના રાજકીય પક્ષ મક્કલ નીધિ મૈયમના નેતા કમલ હાસન પણ પહોંચ્યા છે.

- Advertisement -

HINDIA બનાવવામાં આવી રહ્યું

મક્કલ નીધિ મૈયમના અધ્યક્ષ કમલ હાસને સંસદીય મતવિસ્તારોને સીમાંકિત કરવાના કેન્દ્રના પ્રયાસોની આકરી ટીકા કરી અને ચેતવણી આપી કે તેનાથી ભારતના સંઘીય માળખા અને વિવિધતાને નુકસાન પહોંચી શકે છે. આ મુદ્દા પર સર્વપક્ષીય બેઠકમાં બોલતા હાસને કેન્દ્રની ટીકા કરી અને કહ્યું કે ભારતના સમાવેશી દ્રષ્ટિકોણને જોખમમાં મૂકીને તેને HINDIA બનાવવામાં આવી રહ્યું છે.

- Advertisement -

કમલ હાસને કહ્યું કે, ‘વસતીના આધારે સંસદીય મતવિસ્તારોના સીમાંકનનો મુદ્દો માત્ર તમિલનાડુ માટે જ ચિંતાનો વિષય નથી, તે આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોને પણ અસર કરે છે.’

મુખ્યમંત્રી એમકે સ્ટાલિનનો આભાર માન્યો

- Advertisement -

તેમણે આ પગલાની વ્યાપક અસરનો સ્વીકાર કર્યો અને બેઠકનું આયોજન કરવા બદલ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનનો આભાર માન્યો. હાસને તમિલનાડુના એવા પક્ષોની પણ પ્રશંસા કરી જેમણે વૈચારિક મતભેદોને બાજુ પર રાખીને ચર્ચામાં ભાગ લીધો. તેમણે કહ્યું કે, ‘હું આ જાગૃતિ સાથે આ સર્વપક્ષીય બેઠકનું આયોજન કરવા બદલ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનનો હૃદયપૂર્વક આભાર માનું છું.’

કમલ હાસને આ મામલે પોતાના સ્પષ્ટ વલણનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે, વસતી વૃદ્ધિને નિયંત્રિત કરીને રાષ્ટ્રીય વિકાસમાં ફાળો આપનારા રાજ્યોને દંડ ન કરવો જોઈએ. તેમણે લોકશાહી અને સંઘવાદના મૂળભૂત સિદ્ધાંતો પર વિગતવાર વાત કરી. હાસને જણાવ્યું કે, આ ચર્ચામાં આપણે બે મુખ્ય સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, લોકશાહી અને સંઘવાદ. આ બે આંખો છે અને બંનેને મહત્વ આપીને જ આપણે એક સમાવિષ્ટ અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકીએ છીએ.’

અભિનેતા કમલ હાસને એમ પણ કહ્યું કે, ‘આપણે એક સમાવિષ્ટ ભારતની કલ્પના કરીએ છીએ, પરંતુ તેઓ ‘HINDIA’ બનાવવા માગે છે. જે વસ્તુ તૂટી જ નથી તેને જોડવાનો પ્રયાસ શા માટે કરવો? વારંવાર કાર્યરત લોકશાહીમાં વિક્ષેપ પાડવાની જરૂર નથી. ભલે મતવિસ્તારોને ફરીથી બનાવવામાં આવે, સૌથી વધુ અસર હંમેશા બિન-હિન્દીભાષી રાજ્યો પર જ પડશે.’

તેમણે કહ્યું કે, ‘આ પગલું સંઘવાદને નબળું પાડે છે અને સંપૂર્ણપણે બિનજરૂરી છે. માત્ર આજે કે કાલે જ નહીં, પરંતુ દરેક સમયે સંસદીય પ્રતિનિધિઓની સંખ્યા યથાવત રાખવી એ લોકશાહી, સંઘવાદ અને ભારતની વિવિધતા જાળવવા માટે મહત્વપૂર્ણ છે. એક ભારતીય તરીકે, હું આના પર ભાર મૂકું છું.’

Share This Article