Lata Mangeshkar Family is a Gang of robbers: લતા મંગેશકરનાં પરિવાર સામે દિગ્ગજ કોંગ્રેસ નેતાનો ગંભીર આક્ષેપ, રાજકારણમાં ઉકળાટ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Lata Mangeshkar Family is a Gang of robbers: મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી વિજય વાડેટ્ટીવારે ગુરુવારે આરોપ લગાવ્યો કે, ‘મંગેશકર પરિવાર “લૂંટારાઓની ટોળકી” હતી, જેઓએ ક્યારેય કોઈ સમાજનું ભલું કર્યું નથી. નેતાના આ નિવેદનથી રાજકીય વિવાદ ઊભો થયો છે. ભારતીય જનતા પાર્ટી સહિત અન્ય પક્ષોએ આ ટિપ્પણી પર વાંધો ઉઠાવ્યો છે.

ગર્ભવતી મહિલાના મૃત્યુ બાદ થયો વિવાદ

- Advertisement -

વાડેટ્ટીવારનું આ નિવેદન પુણેમાં એક ગર્ભવતી મહિલાના મૃત્યુ બાદ થયેલા વિવાદ પછી આવી છે, જેને શહેરની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવાનો કથિત રીતે ઈનકાર કરવામાં આવ્યો હતો.

Share This Article