Mohan Bhagwat: મોહન ભાગવતે RSS શાખામાં મુસ્લિમો જોડાવાની આપી શરત, જાણો શું કહ્યું

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ચાર દિવસ માટે વારાણસીના પ્રવાસે છે. રવિવારે સવારે તેઓ માલદહિયાની લાજપત નગર પાર્ક શાખામાં પહોંચ્યા હતા. અહીં તેમણે શાળાના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને સ્વયંસેવકોના કેટલાક પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. એ દરમિયાન મોહન ભાગવતે કહ્યું હતું કે, ‘મુસ્લિમો ત્યારે જ RSS માં જોડાઈ શકે છે જો તેઓ ‘ભારત માતા કી જય’ના ​​નારા અને ભગવા ઝંડાનું સન્માન કરે.’

સંઘમાં દરેક લોકો જોડાઈ શકે છે: મોહન ભાગવત

- Advertisement -

શાળાના કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, ‘શું આપણે આપણા મુસ્લિમ પાડોશીઓને પણ સંઘમાં લાવી શકીએ?’ આ પ્રશ્નના જવાબમાં સંઘ પ્રમુખે કહ્યું હતું કે, ‘ભારત માતા કી જય બોલનારા અને ભગવા ધ્વજનું સન્માન કરનારા તમામ માટે RSS શાખાના દરવાજા ખુલ્લા છે. અહીં દરેક લોકો આવી શકે છે સિવાય કે જેઓ પોતાને ઔરંગઝેબના વંશજ માને છે. સંઘની શાખામાં પૂજા પદ્ધતિના આધારે કોઈ ભેદભાવ નથી. આપણી જ્ઞાતિ, સંપ્રદાય અને પંથ ભલે અલગ-અલગ હોય, પણ આપણી સંસ્કૃતિ એક જ છે.’

અખંડ ભારત જરૂરી છે 

આ દરમિયાન મોહન ભાગવતે અખંડ ભારતના સંકલ્પના વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘કેટલાક લોકો માને છે કે અખંડ ભારતનો વિચાર વ્યવહારુ નથી, પરંતુ સત્ય એ છે કે તે શક્ય છે. આજે સિંધ પ્રાંતની સ્થિતિ જુઓ. જે ભાગો ભારતથી અલગ થયા હતા તેમની સાથે આજે ભેદભાવની સ્થિતિ છે. સંઘમાં ક્યારેય કોઈની સાથે ભેદભાવ કરવામાં આવ્યો નથી. અમારી શાખાઓમાં દરેકને હંમેશા પ્રવેશ મળે છે.’

Share This Article