Virat Kohli News: વિરાટ કોહલીનો ઇન્સ્ટાગ્રામ પર સ્પષ્ટ સંદેશ, ‘હું એવી હાલતમાં નથી…’

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Virat Kohli News: ટીમ ઈન્ડિયાનો ધુઆંધાર ખેલાડી વિરાટ કોહલીના ચાહકો કરોડોની સંખ્યામાં છે. સોશિયલ મીડિયા પર તેના લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે. જેથી સોશિયલ મીડિયા પર કોહલીની પ્રત્યેક હિલચાલ  ચર્ચાનો વિષય બની જાય છે. હાલમાં જ વિરાટે ઈન્સ્ટાગ્રામ પરથી પ્રમોશન, પેઈડ પાર્ટનરશીપ અને જાહેરાતો સંબંધિત પોસ્ટ દૂર કરી હતી. કોહલીના આ પગલાંથી ચાહકો અને ફોલોઅર્સમાં અનેક તર્કવિતર્ક શરૂ થયા હતા. અંતે કોહલી આ મામલે સ્પષ્ટતા આપવા મજબૂર બન્યો હતો.

પ્રમોશનલ પોસ્ટ દૂર કરી

- Advertisement -

ગત બુધવારે વિરાટ કોહલીએ પ્રમોશનલ પોસ્ટ દૂર કરી દીધી હતી. ત્યારબાદ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ સેક્શનમાં વિરાટ, તેનો પરિવાર, વર્કઆઉટ સેશનની સાથે સાથે આઈપીએલ 2025ની અમુક તસવીરો અને વીડિયો જ જોવા મળી રહ્યા હતા. વિરાટે પોતાનું એકાઉન્ટ શા માટે રિસેટ કર્યું તે ચર્ચાનો વિષય બન્યો હતો. અંતે આરસીબીની યુટ્યૂબ ચેનલ પર એક વીડિયોમાં કોહલીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા મુદ્દે હું મૌન તોડી રહ્યો છું. હું હાલ એવી સ્થિતિમાં છું કે, લોકો સાથે વધુ જોડાણ કરી શકતો નથી. જો કે, ભવિષ્ય વિશે કંઈક કહેવું અસંભવ છે. હાલ અમુક એવી ઘટનાઓ ઘટી હતી, જેના લીધે મારે એકાઉન્ટ રિસેટ કરવુ પડ્યું હતું.

Share This Article